Std:-6 Science Chapter-1
૧. ખોરાક ક્યાં થી મળે ? સ્વાધ્યાય ના પ્રશ્નોત્તર પ્રશ્ન 1. તમને એવું લાગે છે કે , દરેક સજીવને સમાન ખોરાકની જરૂરિયાત હોય છે ? ઉત્તર. ના , દરેક સજીવને સમાન ખોરાકની જરૂરિયાત હોતી નથી. તૃણાહારી પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ અને મિશ્રાહારી પ્રાણીઓ નો ખોરાક સ્વાભાવિક રીતે અલગ અલગ હોય છે. પ્રશ્ન-૨ ખોરાક તરીકે ઉપયોગમાં આવતી પાંચ વનસ્પતિ અને તેના ભાગો ના નામ આપો. ઉત્તર. ખોરાક તરીકે ઉપયોગમાં આવતી પાંય વનસ્પતિ અને તેના ભાગો ના નામ નીચે મુજબ છે: વનસ્પતિનું નામ ઉપયોગમાં લેવાતો ભાગ 1. ઘઉં (બીજા દાણા) 2. બટાટા પ્રકાંડ (મૂળ) 3. કોથમીર પર્ણ 4. મૂળો મૂળ તથા પર્ણો 5. આમલી ફળ પ્રશ્ન- 3 જોડકા. 1. દૂધ , દહીં , પનીર , ધી - બધી જ પ્રાણીજ પેદાશ છે. 2. પાલક , ફલેવર , ગાજર - શાકભાજી છે. 3. સિંહ અને વાધ- બીજા પ્રાણીઓને ખાય છે. 4 તૃણાહારી ઓ - વનસ્પતિ અને તેની પેદાશો ખાય છે. પ્રશ્ન 4. ખાલી જગ્યા પૂરો. 1. વાધ માત્ર માસ ખાય છે , માટે તે...... છે. ઉત્તર. માસાહારી 2. હરણ માત્ર વનસ્પતિ ની પેદાશ ખાય